=> સ્થૂલ,સુક્ષ્મ અને કારણએ ત્રણ દેહથી હું અલગ છે. હું શરીર નથી,ત્રણ અવસ્થાયી હું ન્યારું છે.ત્રણ અવસ્થા -હું નથી.અવસ્થા બદલાય છે. હું અપરિવર્તનશીલ છે.
=> શરીર છ વિકારવાળું છે. હું અવિકારી છે,માટે 'હું' નો નાશ સંભવતો નથી.હું પરમ સત્ય છે, તે જ ઈશ્વર છે,તે તું છો.તે વેદાંત મત જાણવો.
=> સંતપ્રણાલીમાં 'હું' ને નામી કહે છે અને નામની લક્ષણા ઈશ્વર આપવામાં આવી છે.નામી અને નામ અભેદ છે.તેમ હું ને ઈશ્વર અભેદ છે.ઉપનિષદમાં નામને અમૃત કહ્યું છે. બધું બાદ કરતા નામ વધે છે. તે કહેતા ઈશ્વર તું છો.
=> અદ્વૈત મત વેદનું અંતિમ લક્ષ જાણવું. દ્વૈતભાવ દુઃખનું કારણ છે. સુખ અને દુઃખ , રોગ અને દ્વેષ ,હરખ અને શોક,તમામ દ્વંદ્વથી પર તમારું સ્વરૂપ જાણવું. હું નિર્લેપ ન્યારું ને અસંગ છે. તેને જ્ઞાન જાણવું. હું પોતાના માં જેમનું તેમ છે.
=> હું અનંતરૂપે પ્રકાશીને રહેલું છે. વ્યાપક અને પરિપૂર્ણ હોવાથી તમામ સંશય વિરમી જાય છે. હું જ અસ્તિત્વ છે. હું સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી. હું જ ચૈતન્ય છે. ચૈતન્ય તે જ ઈશ્વર છે. હું મન,વાણી અને બુદ્ધિનો વિષય નથી. સદગુરુ યુક્તિરૂપી સાધન દ્વારા અપરોક્ષ અનુભૂતિ કરાવે છે. હું જ અનંતરૂપે પ્રકાશીને રહેલું છે.
=> હું સર્વને આવરીને રહેલું છે. પીંડ અને અનંત બ્રહ્માંડરૂપે વિસ્તાર પામેલું છે. હું જ્ઞાન સ્વરૂપ હોઈ પરમ સત્ય, ઈશ્વર તું છો,તે શ્રુતીનો આખરી નીચોડ જણાવો.સદગુરુના કૃપાપ્રસાદથી જીવનની પૂર્ણતાને પામી શકાય છે.